ખૂબ લડી મર્દાની, વોહ તો ઝાંસીવાલી રાની થી !

ભારતમાં કોને ખબર નહીં હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ?બે સદીઓ પછી,આજેપણ બાળપણથી જ યુવતીઓને લક્ષ્મીબાઈની બહાદુરીની ગાથાઓ યાદ કરીને પ્રેરિત કરવામાં આવે છે. શરૂઆતનું જીવન તેમનો જન્મ 18 નવેમ્બર,1828ના રોજ વારાણસીમાં પેશ્વાના દરબારી મોરોપંત તાંબેના ઘરે થયો હતો. પેશ્વાને તેમને છબીલી કહીને બોલાવતાં હતાં. નામ મણિકર્ણિકા હતું અને લોકો તેમને પ્રેમથી ‘મનુ’ કહીને બોલાવતાં હતાં. […]